Posts

Showing posts from February, 2015

મહાત્મા જોતિબા ફૂલેજી

મહાત્મા જોતિબા ફૂલે. (મહારાષ્ટ્રનાં ક્રાંતિકારી વિચારક અને સમાજસુધારક) સંક.પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ) ઇ.સ.1827માં પુણે (મહારાષ્ટ્ર)માં જન્મ.. પિતાશ્રી -ગોવિંદરાવ અને માતાશ્રી-ચિમણાબાઇ મૂળ અટક-ગો-હે. ફૂલનાં વ્યવસાય સાથે જોડયેલાં હોવાથી ‘ફૂલે’ અટકથી જાણીતાં થયાં.. મૂળ વતન-સતારા જિલ્લાનું પુરંદર તાલિકાનું ખાનવડી ગામ. ત્યાં સ્થાયી થયાં.. ઇ.સ.1834માં સાત વર્ષની ઉંમરે પ્રાથમિક શાળામાં પ્રવેશ. શાળાનું વાતાવરણ સારું ના હોવાથી પિતાએ શાળા છોડાવીને બાગ-કામમાં લગાડી દીધાં.. ઇ.સ.1840માં સાવિત્રીબાઇ સાથે લગ્ન કર્યા..જે પાંચ દાયકા સુધી પતિની સાથે સમાજસુધારા અને શિક્ષણને મહત્વ આપીને પૂર્ણ નિષ્ઠા ને નિયત-નીતિ-નિસ્બત અને નિજાનંદે સહકાર આપે છે. ઇ.સ.1842માં અંગ્રેજી શાળામાં દાખલ થયાં.. ઇ.સ.1843-44માં શાળામાં જ લહુજીબુવા પાસેથી પહેલવાની શીખ્યાં-અંગ કસરતનાં દાવ શીખ્યાં. ઇ.સ.1845માં શિક્ષણની સાથોસાથ સમાજસુધારણાનું વ્રત લીધું.. ઇ.સ.1848માં કેળવણીનો પ્રચાર-પ્રસાર કરવા પુણેમાં છોકરાઓ માટે શાળા શરુ કરી. ...

દલિત ચળવળકાર શ્રી નામદેવ ઢસાળજી

નામદેવ ઢસાળ. (દલિતમૂવમેંટકાર) મરાઠી સાહિત્યકાર ઇ.સ.1949માં 15 ફેબ્રુઆરીનાં રોજ મહારાષ્ટ્રનાં પુણેનાં રાજગુરુનગરનાં પુરકનેસર ગામે જન્મ.. શરુઆતની 43 (તેંતાલિસ) વર્ષની જિંદગીમાં કામાઠીપુરા નામના કામગાર વિસ્તારની એક ચાલીની એકમાત્ર ઓરડીમાં ગરીબીમાં જિંદગી વિતાવી હતી.. શાળાંત પરીક્ષા પાસ કરી, વ્યાવસાયિક કારકીર્દિની શરુઆત કરેલી હતી.. ઇ.સ.1965થી ઇ.સ.1971 સુધીનાં ગાળામાં ભાડાની ટેક્સી ચલાવી હતી.. ‘ઇપ્ટા’નાં લોકકવિ અમરશેખનાં દીકરી મલ્લીકા હતાં, એમની સાથે લગ્ન કર્યા.. ઇ.સ.1972માં નામદેવ ઢસાળનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગોલપીઠા’ પ્રકાશિત થયેલો.. (જેમાં સમગ્ર મુંબઇની અંધારી આલમનાં ફોરાસ રોડ ઉપરનાં વેશ્યાઓ, એનાં દલાલોની ખુલ્લેઆમ ચિત્રણ કરવામાં આવેલું.. ’ગોલપીઠા’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ‘વિશેષ જીવન ગૌરવ’ એવોર્ડ મળ્યો.. ઇ.સ.1992માં મુંબઇમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોથી પ્રભાવિત થતાં, નામદેવ ઢસાળજીએ કામાઠીપુરની ઓરડીને છોડીને અંધેરીનાં પરાવિસ્તારમાં સ્થળાંતર કરવું પડયું.. ત્યાં આજીવિકા માટે ચીની ખાદ્યપદાર્થોની લાળી (રેંકડી) શરુ કરી-ચલાવી ગુજરાન કરવું પડ્યું.. સાથોસાથ કાવ્યસર્જન પણ કરતાં રહ્યાં.. ઇ.સ.1997...