Posts

Prof Ramesh Sagathiya - MMG College-Junagadh

 Prof Ramesh Sagathiya - MMG College-Junagadh  https://drive.google.com/file/d/1Y4IVoTUl0FLbZkqN6r9u8gqioe00cF0l/view?usp=drive_link

તવારીખ=એ=રાજા રામમોહન રાય.

     તવારીખ=એ=રાજા રામમોહન રાય. ઇ.સ.1772માં 22 મે મહિનામાં પિતા રામકાંત, માતા તારીણીદેવીને ત્યાં રાધાનગરમાં (હુગલી પાસેનું – કલકત્તા) જન્મ.. એમનાં વડવાઓની અટક બેનરજી, નવાબ તરફથી ‘ રાય-રાયન ’ નો ઇલ્કાબ મળતાં રાય થયાં. પિતા રામકાંતને પ્રથમ પત્નિ સુભદ્રાથી કોઇ સંતાન નહીં, એ મૃત્યુ પામતાં, બીજાં લગ્ન તારીણીદેવી સાથે કર્યા, તે ‘ ફુલઠકારાણી ’ કહેવાતાં હતાં, તેનાં બે દીકરામાં મોટા જગમોહન અને નાના દીકરા તે રામમોહન અને એક દીકરી જન્મી, ત્રીજાં લગ્ન રામમણીદેવી સાથે કર્યા, તેનાં પુત્રનું નામ રામલોચન હતું. ઇ.સ.1780માં નવવર્ષની ઉંમરે અરબી-ફારસીનાં અભ્યાસ માટે પટના ગયાં.. ઇ.સ.1783માં ચારવર્ષ અભ્યાસ કરી પાટણ છોડી, સંસ્કૃતનાં અભ્યાસાર્થે બનારસ ગયાં.. ઇ.સ.1787માં સત્તર વર્ષની ઉંમરે પિતા સાથે વિચારભેદ થતાં ગૃહત્યાગ કર્યો, ફરતાં ફરતાં તિબેટ સુધી ગયાં.. ઇ.સ.1791માં વીસ વર્ષની ઉંમરે તિબેટથી પરત ફરીને પાછા પિતાશ્રીની સાથે રહેવા લાગ્યાં.. ઇ.સ.1792માં એકવીસ વર્ષની વયે સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા કલકત્તા આવન-જાવન થવા લાગ્યું.. ઇ.સ.1797માં પિતાની સંપત્તિની વહેંચણી થતાં, પોતે...

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

‘ નરસિંહ મહેતાનાં પદો ’ નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો. ભૂમિકા = ગુજરાતી સાહિત્યનાં ‘ આદિકવિ ’ તરીકે ખ્યાત નરસિંહ મહેતા રસકવિ. ભક્તકવિ, જ્ઞાનમાર્ગીકવિ અને શૃંગારરસની સાથોસાથ સિધ્ધરસનો કવિ છે. ઇ.સ.1414થી 1480નાં સમયખંડનાં આ કવિ વિશે અનંતરાય રાવળ કહે છે. : ’ નરસિંહની કવિતામાં પંદરમાં શતકથી પ્રવહમાન થયેલી ભક્તિની ગુજરાતી કાવ્યગંગાની ગંગોત્રી છે ’ . હાર, હૂંડી, મામેરુ, પિતાનું શ્રાધ્ધ અને શામળશાનો વિવાહ એ એમની પાંચ આત્મલક્ષી રચનાઓ છે, આ ઉપરાંત, બીજા અનેક પદો એમણે રચ્યાં છે. જો કે, અત્યાર સુધીમાં થયેલાં સંશોધન મુજબ નરસિંહનાં નામે ચડેલી ઘણી કવિતાઓ નરસિંહનાં નામે ચડાવી દેવામાં આવી છે, એવો પણ અનેક વિદ્વાનોનો મત છે. શ્રી નરોત્તમ પલાણ નરસિંહનાં જીવન અને કવનનાં ત્રણ વિભાગ કરીને, પંદર-સોળમી સદી, સતર અને અઢારમી સદી અને ઓગણીસથી વીસમી સદીમાં નરસિંહનાં જીવન-કવન વિશે ક્યાં, કેવું?, કેટલું, શા માટે ઉમેરણ થયું, એનાં વિશે વિગતે ચર્ચા કરી છે. અહીંયા આપણે આપણા અભ્યાસક્રમની પસંદગીની પદરચનાઓને જ ધ્યાને લઇને એમની સમગ્રલક્ષી સમીક્ષા કરીશું. અભ્યાસક્રમમાં પસંદગીનાં કાવ્યો = ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવ...

‘યાદગાર કાવ્યો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ યાદગાર કાવ્યો ’ નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો. ભૂમિકા : મહેન્દ્ર મેઘાણીએ અનેક શ્રેષ્ઠ ગુજરાતી ગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું છે, એમની આ વૃત્તિ અને પ્રવૃત્તિ સાથેની સ્વકિય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. ગુજરાતી સાહિત્યનું સુંદર, સરસ અને શ્રેષ્ઠ સર્જન ગુજરાતી સમાજ કે વિશ્વ સમક્ષ મૂકી આપવાનું છે. શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીની સંકલનકર્તા કે સંપાદનકાર્ય એ એમની આગવી ઓળખ બની ચૂકી છે, ત્યારે પ્રસ્તુત પુસ્તક ‘ યાદગાર કાવ્યો ’ એ હાલ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢનાં   અભ્યાસક્રમમાં પસંદગી પામેલ છે, આમ, તો આ કાવ્યસંગ્રહમાં કુલ એકસો એક કાવ્યો સંગ્રહિત થયેલા છે, પરંતુ, આપણા અભ્યાસક્રમમાં એમાંથી પસંદ કરાયેલ પચ્ચીસ કાવ્યો છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે, તો, આપણે એને ધ્યાને લઇને જ એ કાવ્યોનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરીએ. કાવ્યોમાંના વિષય સંદર્ભે : સ્વાભાવિક રીતે કોઇપણ કાવ્યનાં વિષયસંદર્ભે જો ચર્ચા કરીએ તો,પ્રણય, પ્રકૃતિ, પ્રભુપ્રેમ અને સામાજિક-સાંપ્રત વિષય પ્રધાનત: જોવા મળતા હોય છે, અહીંયા આપણા અભ્યાસક્રમનાં પચ્ચીસ કાવ્યોમાં તપાસ કરીએ તો, એમાં પણ આ ચાર વિષય જ જોવા...