Posts

Showing posts from January, 2016

‘મારી હકીકત’ લે.નર્મદ-પ્રો.રમેશ સાગઠિયા

‘ મારી હકીકત ’ લે.નર્મદ- સાહિત્ય સ્વરુપ-આત્મકથા. ઇ.સ.1866. આ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જેમને ‘ અર્વાચીનોનાં આદ્ય ’ તરીકે ઓળખવામાં આવે છે કવિ નર્મદની આત્મકથા છે. જેમાં એમણે પોતાનાં જીવનનાં આરંભનાં તેત્રીસ વર્ષોની વિગતો આપી છે. ગુજરાતી સાહિત્યનું સૈધ્ધાંતિક કહી શકાય એવું આત્મકથાનું એ રુપ છે. આત્મનિરીક્ષણ, ગુજરાતી સાહિત્યમાં આત્મકથાનો એક ઉત્તમ નમૂનો આપવો અને પોતાનાં જીવનનું નિખાસલ સત્યકથનનાં ઉદ્દેશ સાથે આ આત્મકથા લખાયેલી છે. એમાં બાળપણથી માંડીને એમનાં સિધ્ધિનાં શિખરો સુધીની યશકથા પણ જોવા મળે છે. ઇ.સ.1866માં લખાયેલી પણ ઇ.સ.1934માં પ્રગટ થયેલી છે. એ લખે છે મને દલપતરામની થતી પ્રશંસાની ઇર્ષા થતી, અહંકાર, મોટાઇનો ગુણ, સુરતી વિચાર અને મિજાજી વ્યક્તિત્વ,   મિથ્યાભિમાન અને આવેશી પ્રકૃતિ, બડાશની કુટેવ વગેરેની નોંધ કરીને પોતાનાં દોષ પણ વર્ણવ્યા છે. તૂટક લખાણ, અધૂરી મળતી માહિતી, પ્રવાહી શૈલીનો અભાવ, જુદી જુદી નોંધને ભેગી કરી લખવાનો પ્રયાસ, ક્યાંક પ્રાકૃતપણું, બરછટપણું અને ભાષા અને શબ્દ પસંદગીમાં ક્યાંક દોષ દેખાય છે, પણ આજથી દોઢસો વર્ષ પૂર્વેનાં આપણા ગુજરાતી સાહિત્યકારશ્રીની શબ્દશ્ર...

‘મિથ્યાભિમાન’-દલપતરામ.-પ્રો.રમેશ સાગઠિયા

‘ મિથ્યાભિમાન ’ -દલપતરામ. ગુજરાતી નાટક-ઇ.સ.1871માં પ્રસિધ્ધ. દલપતરામે બે નાટકો લખ્યા છે, ‘ લક્ષ્મીનાટક ’ અને ‘ મિથ્યાભિમાન ’ એમની આ નાટ્ય રચના કચ્છની એક સ્પર્ધામાં રુ.100 ઇનામ મેળવવાર્થે લખાયેલું, જીત્યા બાદ એમને દોઢસો રુપિયા ઇનામ મળેલું. ગુજરાતીનું લોકપ્રિય અને હાસ્યરસ પ્રધાન નાટક છે. આઠ અંકમાં લખાયેલું છે. મિત્ર ફાર્બસ સાહેબ પાસેથી એક ગ્રીક નાટકનો અંગ્રેજી અનુવાદ સાંભળીને દલપતરામે ‘ લક્ષ્મીનાટક ’ લખ્યું. તો ભવાઇશૈલીનો પ્રભાવ ઝીલીને ‘ મિથ્યાભિમાન ’ નાટક લખ્યું. સળંગ અને સફળ હાસ્યરસ પ્રધાન નાટક છે. જીવરામ ભટ્ટ એનો નાયક છે. જે રતાંધળો છે. રાતે જોઇ શકતો નથી, દંભી છે, એક વાર રાતનાં સમયે જીવરામ ભટ્ટ સસરાને ઘેરે જાય, બધાને ખબર છે કે જીવરામ ભટ્ટ રતાંધળો છે; પણ એ પોતે દંભી હોવાથી એ વાતને સ્વીકારતો નથી. અનેક પ્રશ્નોમાં અટવાય છે, અભિમાની અને દંભી હોવાથી વારંવાર ઠ્ઠામશ્કરીનો ભોગ બને છે. ચાલાકીથી જવાબ આપે છે, પણ પાછો પકડાઇ પણ જાય છે. કેટલી આંગળીઓ છે? નો જવાબ ચાર આપે છે, અંગુઠો આંગળીમાં ના ગણાય એવો જવાબ આપીને પોતાની હાંકે છે.હાજરજવાબી બનવા જાય છે, અંતે રાતે અંધારામાં ચોર ગણીને પોલીસ ...

‘કરણઘેલો’ – નંદશંકર મહેતા.-પ્રો.રમેશ સાગઠિયા

‘ કરણઘેલો ’ – નંદશંકર મહેતા. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા – ઇ.સ.1866માં પ્રગટ. આ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા તરીકે મહત્વની કૃતિ છે. ઇ.સ.1866માં લખાયેલી અને નંદશંકર મહેતાની આ એક ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી કથા છે. જો કે એની પહેલાં મહિપતરામ રુપરામ નીલકંઠે ‘ સાસુ વહુની લડાઇ ’ નામની નવલ લખેલી, પણ એમાં કથા છે, નવલકથા નથી બનતી, એવું જ ઇ.સ.1862માં એક પારસી દ્વારાં લખાયેલી ‘ ગુજરાત મધ્યેનું એક ગરીબ ઝૂંપડું ’ મળે છે, તે પણ એક ફ્રેંચ નવલકથાનો અંગ્રેજી અનુવાદનો સંક્ષિપ્ત આલેખ બની રહે છે, મૌલિક નવલકથા બનતી નથી. નંદશંકર મહેતાને એમનાં અંગ્રેજ મિત્ર રસેલે કહ્યું કે અંગ્રેજીમાં વોલ્ટેર જે પ્રકારની નવલકથા લખે છે એવી નવલકથા લખો. તેથી ‘ ફાર્બસ રાસમાળા ’ માંથી હિંદુસ્ત્તાનનો છેલ્લો રાજા કરણ વાઘેલો નું કથાકેન્દ્રી, તેમાં કાલ્પનિક રંગો ઉમેરીને આ ‘ કરણઘેલો ’ નવલકથા લખાયેલી છે. નંદશંકર શરુઆતમાં જ એનાં ઉદ્દેશને જણાવતાં કહે છે..- ‘ મગરુબીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, અને પાપનો ક્ષય ’ દર્શાવવાનો મારો ઉદ્દેશ છે. કથા આ પ્રમાણેની છે.-ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કરણદેવ વાઘેલો લંપટ અને સ્ત...