‘ નરસિંહ મહેતાનાં પદો ’ નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો. ભૂમિકા = ગુજરાતી સાહિત્યનાં ‘ આદિકવિ ’ તરીકે ખ્યાત નરસિંહ મહેતા રસકવિ. ભક્તકવિ, જ્ઞાનમાર્ગીકવિ અને શૃંગારરસની સાથોસાથ સિધ્ધરસનો કવિ છે. ઇ.સ.1414થી 1480નાં સમયખંડનાં આ કવિ વિશે અનંતરાય રાવળ કહે છે. : ’ નરસિંહની કવિતામાં પંદરમાં શતકથી પ્રવહમાન થયેલી ભક્તિની ગુજરાતી કાવ્યગંગાની ગંગોત્રી છે ’ . હાર, હૂંડી, મામેરુ, પિતાનું શ્રાધ્ધ અને શામળશાનો વિવાહ એ એમની પાંચ આત્મલક્ષી રચનાઓ છે, આ ઉપરાંત, બીજા અનેક પદો એમણે રચ્યાં છે. જો કે, અત્યાર સુધીમાં થયેલાં સંશોધન મુજબ નરસિંહનાં નામે ચડેલી ઘણી કવિતાઓ નરસિંહનાં નામે ચડાવી દેવામાં આવી છે, એવો પણ અનેક વિદ્વાનોનો મત છે. શ્રી નરોત્તમ પલાણ નરસિંહનાં જીવન અને કવનનાં ત્રણ વિભાગ કરીને, પંદર-સોળમી સદી, સતર અને અઢારમી સદી અને ઓગણીસથી વીસમી સદીમાં નરસિંહનાં જીવન-કવન વિશે ક્યાં, કેવું?, કેટલું, શા માટે ઉમેરણ થયું, એનાં વિશે વિગતે ચર્ચા કરી છે. અહીંયા આપણે આપણા અભ્યાસક્રમની પસંદગીની પદરચનાઓને જ ધ્યાને લઇને એમની સમગ્રલક્ષી સમીક્ષા કરીશું. અભ્યાસક્રમમાં પસંદગીનાં કાવ્યો = ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવ...
This comment has been removed by the author.
ReplyDeleteHi
ReplyDelete