Posts

Showing posts from 2015

ડો.કલ્યાણ વૈષ્ણવ - દલિત સાહિત્યકારશ્રી

ડો.કલ્યાણ વૈષ્ણવ. જન્મતારીખ=1 જૂન ઇ.સ.1955. જન્મસ્થળ=બેટાવાડા તા.કપડવંજ જિ.ખેડા. હાલનું સરનામું=120/2 સેકટર-6બી, ગાંધીનગર-382006. અભ્યાસ=એમ.એ./પીએચ.ડી. (હિન્દી) વ્યવસાય=એસોસિયેટ પ્રોફેસર (એમ.એન.કોલેજ, વિસનગર) સંપર્ક=97259-56490. પ્રકાશિત પુસ્તકો= (1) ‘આંખ’ (દલિત કાવ્યસંગ્રહ) (2) ‘અકબંધ આકાશ’ (કાવ્યસંગ્રહ) (3) ‘નરેશ મહેતા કે કાવ્ય કા અનુશીલન’ (પીએચ.ડી.થિસીસ પુસ્તક રુપે) પારિતોષિક= (1) ‘ભારત શિક્ષારત્ન એવોર્ડ’ દિલ્હી ડિસેમ્બર-2012. (2) ‘હિન્દી સાહિત્ય અકાદમી’ –રાજસ્થાન. (3) ‘હિન્દી સાહિત્ય અકાદમી’-મધ્યપ્રદેશ. નોંધ= ડો.કલ્યાણ વૈષ્ણવ હિન્દીનાં અધ્યાપક તરીકે વિસનગરની સરકારી એમ.એન.કોલેજમાં વર્ષોથી અધ્યાપન કાર્ય કરે છે. ડો.વૈષ્ણવ વર્ષોથી કવિતાઓ લખે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ’ ઇ.સ.2003માં સંગ્રહસ્થ થાય છે. ત્યારે તેમની કવિતામાં રહેલું વિત્ત ઘણાં જ દલિત વિવેચકોને પારખેલું. કવિશ્રી ભી. ન.વણકરે ‘આંખ’ની પ્રસ્તાવના લખીને ડો.કેકે.વૈષ્ણવને કવિતાઓને સુપેરે ખોલી આપી હતી. કવિશ્રીને નાનપણથી ઘણી જ આપદાઓ વેઠવી પડેલી છે. ધનાભગત તરીકે ઓળખાતા દાદાજીનાં ઘેર સમાજનાં લોકોની આવજા રહેતી. ગોર મહારાજ, વહીવંચા...

શ્રી શિરીષ પરમાર=દલિત સાહિત્યકારશ્રી

શ્રી શિરીષ પરમાર. જન્મતારીખ=23 ઓકટોમ્બર ઇ.સ.1939. જન્મસ્થળ=અમદાવાદ. વતન=અમદાવાદ. હાલનું સરનામું-639, ખસીપુર, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-22. અભ્યાસ-જૂની એસ.એસ.સી. (મેટ્રીક) અને ચિત્રકલાનો અભ્યાસ. વ્યવસાય=કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત્ત. સંપર્ક=99130-96245. પ્રકાશિત પુસ્તકો= (1)=’થીજી ગયેલી રાત’ (ઇ.સ.1986-નવલિકાસંગ્રહ) (2)=’સીમનાં અંધારાં’ (ઇ.સ.1991-ભૂતકથાઓ) (3)=’નાથબાબાનો ચમત્કાર’ (ઇ.સ.1997-બાળવાર્તાઓ) પારિતોષિક= (1) ‘નવચેતન’ માસિક દ્વારાં ‘ઘરનો સાદ’ વાર્તાને ઇ.સ.1981-82નો કુમારી અલ્પના ગુણવંત શાહ વાર્તાચંદ્રક. (2) ભારતીય દલિત સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હીનો ડો.આંબેડકર ફેલોશીપ ચંદ્રક. નોંધ-શિરીષ પરમાર એક એવા સર્જક છે કે જ્યારે દલિત સાહિત્યકારોમાં એકાદ-બે સર્જકો સર્જન કરી રહ્યાં હતાં ત્યારે તેઓ વાર્તાઓ લખતાં હતાં. ચિત્રકામ ઉપરાંત સાહિત્ય વાંચન તથા લેખનની રુચિને કારણે ‘ચાંદની’, ‘રંગતરંગ’, ‘આરામ’, ‘નવચેતન’, ‘શ્રીરંગ’ જેવા સામયિકોમાં એમની નવલિકાઓ પ્રગટ થઇ હતી. આ વાર્તાકાર ઇ.સ.1980 પછી તો સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઇ ગયા હતાં. શિરીષ પરમારનું વાર્તાકાર તરીકે તે વખતે ખૂબ નામ જાણીતું હતું...

શ્રી નગીનચંદ્ર ડોડિયા-દલિત સાહિત્યકારશ્રી

દલિતસર્જકશ્રી નગીનચંદ્ર ડોડિયા. જન્મતારીખ= 1લી જૂન ઇ.સ.1951. જન્મસ્થળ=પાટણ, વતન=પાટણ. હાલનું સરનામું=23, ખોડિયારનગર સોસાયટી, મોતીશાગેટ, ટેકરા ઉપર, પાટણ (ઉતર ગુજરાત) પીનકોડ નંબર=384265. અભ્યાસ=એમ.એ. વ્યવસાય=પૂર્વ તાલુકા વિકાસ અધિકારીશ્રી. સંપર્ક (ઘર-02766-292861) મોબાઇલનંબર-99245-54878. પ્રકાશિત પુસ્તકો= ’પિંજિકા’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થવામાં... નોંધ-શ્રી નગીનચંદ્ર ડોડિયા એક મહત્વનાં દલિત કવિ છે. જ્યારે દલિત કવિતાનો ઉદભવકાળ હતો તે સમયથી એમની કાવ્યરચનાઓ પ્રગટ થવા માંડી હતી. હજી સુધી એમનો એકપણ કાવ્યસંગ્રહ પ્રગટ થયો નથી, પરંતુ; તેમનાં બે કાવ્યસંગ્રહો પ્રગટ થાય તેટલાં કાવ્યો એમણે લખ્યાં છે. પ્રારંભમાં ભગીનચંદ્ર પરમારનાં નામે લખતાં આ કવિને લોકો સમક્ષ પુસ્તકાકારે પ્રગટ થવાની જરાય મહત્વાકાંક્ષા નથી. લગભગ 1980 પછી કવિતા લખવાની શરુઆત કરનાર આ કવિ હવે ટકોરાબંધ રચનાઓ થકી આપણી સમક્ષ પ્રગટ થયા ત્યારે એમનાં કાવ્યો માણવાની મજા પડશે તેમ નિ:શંક કહી શકાય. આ કવિને પહેલાં ધોરણથી જ કવિતા ગમતી હતી. બીજા ધોરણમાં આખા વર્ગને મોઢે કવિતાઓ ગવડાવતાં.આઠમા ધોરણથી છંદોબધ્ધ કવિતાઓનું ભાવન એમને આગળ જતાં ખૂબ ખપમાં આવ્યું છ...

ડો.આર,એચ.વણકર (પ્રો.ડો.વણકરસાહેબ)

ડો.આર.એચ.વણકર.(ડો.રમણિકભાઇ વણકર) જન્મતારીખ=1-જૂન ઇ.સ.1954. જન્મસ્થળ=મું લાલ માંડવા, તા,કપડવંજ, જિ.ખેડા. હાલનું સરનામું-‘પ્રકૃતિ’ મારુતી સોસાયટી, શાંતિ નિકેતન સોસાયટી પાસે, ઢાંક માર્ગ-ઉપલેટા-360490. અભ્યાસ=બુ.અ.પ્ર./એમ.એ./પીએચ.ડી. (હિન્દી વિષય) વ્યવસાય=એસોસિયેટ પ્રોફેસર, શ્રીમતી આર.પી.ભાલોડિયા મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ-ઉપલેટા. સંપર્ક (ઘર-02826-223585) મો.94285-85943. પ્રકાશિત પુસ્તકો= (1) ‘તુલશી મુક્તાવલી (અનુવાદ) ઇ.સ.1996. (2) ‘તુલશી દોહાવલી’ (સંપાદન) ઇ.સ.2003. (3) ‘ટોલ્સટોય’ (અનુવાદ) ઇ.સ.2003. (4) ‘દલિત સાહિત્ય આંદોલન’ ઇ.સ.2003. (5) ‘દાદુનું જીવનદર્શન’ ઇ.સ.2006. (6) ‘ગુજરાતી દલિત સાહિત્યકાર પરિચય કોશ’ ઇ.સ.2006 (7) ‘હિન્દી કી શ્રેષ્ઠ દલિત કહાંનિયા’ ઇ.સ.2007. (8) ‘શિક્ષણ:ઓશોની દષ્ટિએ’ ઇ.સ.2008. (9) ‘દલિત ડેપ્યુટી કલેકટર’ (નાટક) ઇ.સ.2009. (10) ‘રશ્મિરથી’ સમગ્ર મૂલ્યાંકન ઇ.સ.2010. (11) ‘છાપરું’ (નવલકથા-અનુવાદ) ઇ.સ.2010. (12) ‘જૂઠન’ (આત્મકથા-અનુવાદ નોંધ) ઇ.સ.2013 નોંધ=ડો.આર.એચ.વણકરે પ્રારંભમાં દેવગઢ બારીયાથી બુ.અ.પ્ર.કરીને જામનગર જિલ્લાનાં જુવાનપુર ગામમાં નોકરીની શરુઆત કરી અને એક વર્...

ડો,મહેશ દાફડા દલિત સર્જકશ્રી

દલિત સર્જક પ્રો.મહેશ દાફડા. જન્મતારીખ=4 સપ્ટેમ્બર ઇ.સ.1967. જન્મસ્થળ=સરંભડા, વતન-સરંભડા તા.-જિ.અમરેલી. હાલનું સરનામું-ભાવનગર, 5613, નિલકંઠનગર, ‘જનયિત્રી’ ઘોઘારોડ,-ભાવનગર. અભ્યાસ=એમ.એ./બી.એડ/પીએચ.ડી. વ્યવસાય=મદદનિશ શિક્ષક (અંગ્રેજી), સનાતન ધર્મ હાઇસ્કૂલ, ભાવનગર. મોબાઇલ નંબર=94269-66653. પ્રકાશિત પુસ્તકો- (1) ‘યુગપુરુષ ડો.ભીમરાવ આંબેડકર. (2) ‘શિક્ષણની ભૂગોળ’ (શૈક્ષણિક લેખોનો સંગ્રહ) (3) ‘કડવા ઘૂંટડા’ (દલિત વાર્તાસંગ્રહ) (4) ‘દલિત સાહિત્ય:સંજ્ઞા, ઉદભવ અને વિકાસ’ વિશેષ સિધ્ધિ:= (1) શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તા.5-6-2005 ભાવનગર. (2) શ્રેષ્ઠ નાટ્યકૃતિ એવોર્ડ માન.મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને સૌરભ પટેલનાં હસ્તે તા.2-6-2004 ભાવનગર. (3) રાજ્યકક્ષાનો ‘ગુજરાત ગવર્નમેંટ ટેકનોલોજી’ એવોર્ડ બેસ્ટઇફર્ટ માન.શિક્ષણમંત્રી શ્રી આનંદીબેન પટેલ હસ્તે તા.27-1-2006 અમદાવાદ. (4) ‘વિશિષ્ટ વ્યક્તિ સન્માન’ એવોર્ડ રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોહ-ન્યૂ દિલ્હી, અધ્યક્ષશ્રી ફકીરભાઇ વાઘેલાનાં હસ્તે તા.15-9-2006. ભાવનગર. (5) ઇંટરનેશનલ સંસ્થા રોટરી કલબ, ભાવનગર દ્વારાં ‘વોકેશનલ એવોર્ડ’ તા.12-11-2006 ભાવનગર. (6) શાળા કક્ષાએ...

દલિત સર્જક શ્રી પ્રવીણ જોષી.

પ્રવીણ જોષી જન્મતારીખ=7 જૂન ઇ.સ.1968. જન્મસ્થળ=પસવાદળ, તા.વડગામ જિ.બનસકાંઠા. (ઉતર ગુજરાત) હાલનું સરનામું=ખોડિયાર મંદિર પાસે, લાલ બાગ, સદરપુરા રોડ (તા.પાલનપુર. ઉતર ગુજરાત) અભ્યાસ-એમ.એ./એમ.એડ/એલ.એલ.બી. વ્યવસાય=માધ્યમિક શિક્ષક, શ્રી વિદ્યાનિકેતન માધ્યમિક શાળા, મુ.પો.ધાણધા (તા.પાલનપુર) સંપર્ક=98794-23363. પ્રકાશિત પુસ્તકો= (1) ‘વણસૂંઘ્યાં ફૂલડાં’ (નવલકથા) (2) ‘પરણેતર’ (નવલકથા) (3) ‘કોકિલ’ (કાવ્યસંગ્રહ) (4) ‘કલંકિની’ (વાર્તાસંગ્રહ) (5) ‘પરદેશ અનુભવો’ (સંપાદન) (6) ‘ઝરુખો જુએ તારી વાટ’ (નવલકથા) આગામી પુસ્તકો= (1) ‘જાતિવાદ’ (2) ‘ચમક ચમક ચમકે તારા’ (બાળગીત) (3) ‘સંભારણાં’ (પ્રેરકપ્રસંગો) પારિતોષિકો= (1) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે નિબંધસ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં પ્રશસ્તિપત્ર અને ઇનામ પ્રાપ્ત (ઇ.સ.1990) (2) કોલેજ કક્ષાએ નિબંધલેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતાં સન્માન (ઇ.સ.1991) નોંધ=’શ્રી પ્રવીણભાઇ જોષી માધ્યમિક શાળામાં ગુજરાતી વિષયનાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ‘રખેવાળ દૈનિક’, ‘જનસેતુ દૈનિક’, ‘બી.કે.ન્યૂઝ દૈનિક’ સાથે જોડાયેલ તથા તેમાં કોલમ લખતાં તેમ જ નવલકથા, વાર્તાઓ, કાવ...

દલિત સાહિત્યકારશ્રી અમૃત મકવાણા

શ્રી અમૃત મકવાણા. જન્મતારીખ-તા.28 માર્ચ 1972. જન્મસ્થળ-મુ.પો.નવાગામ તા.માંડલ (જિ.અમદાવાદ) વતન=મું.પો.નવાગામ, તા.માંડલ જિ..અમદાવાદ. હાલનું સરનામું-ગાયત્રીપાર્ક, નાડોદા છાત્રાલય પાસે, 80 ફૂટ રોડ, વઢવાણ-સુરેન્દ્રનગર. વ્યવસાય=સંસ્થા સંચાલન. સંપર્ક=મો.નં.99130-15323. પ્રકાશિત પુસ્તકો= (1) ‘લિસોટા’ (ઇ.સ.2003 વાર્તાસંગ્રહ) (2) ‘ખારાપાટનું દલિત લોકસાહિત્ય’ (ઇ.સ.2005 સંપાદન-સંશોધન) (3) ‘હદયાનુભૂતિ’ (ઇ.સ.2007-સંપાદન) પારિતોષિક= (1) દલિત સાહિત્ય અકાદમી દ્વારાં શ્રેષ્ઠવાર્તાસંગ્રહ એવોર્ડ ઇ.સ.2009. (2) દાસી જીવણ એવોર્ડ (ઇ.સ.2013) નોંધ=’શ્રી અમૃત મકવાણાએ ‘લિસોટો’ (ઇ.સ.2003)નામનો એક દલિત વાર્તાસંગ્રહ આપ્યો છે. આ સંગ્રહની ‘વેઠ’, ‘લિસોટો’ જેવી વાર્તાઓ સાચે જ ધ્યાનપાત્ર છે. ‘વેઠ’ વાર્તા તો દલિત વાર્તાનાં કોઇપણ સંપાદનમાં સ્થાન પામી શકે એવી વાર્તા છે. જાહેરજીવનમાં કાર્યશીલ એવા આ વાર્તાકારે જીવનને સાવ નજીકથી જોયું છે. ‘મારે તો આક્રોશ અને વિદ્રોહનાં મૂળમાં પડેલી, સળગતી સવારની વાત કહેવી છે. સમાજ રચનાનાં ઓઠા તળે વેઠિયા અને ઉપેક્ષિત બનેલા અધમૂઆઓની આહ રહેલી છે મારે જે કહેવું છે, ગાવું છે તેમાં જો કલાતત્વ અવરો...

દલિત સાહિત્યકાર શ્રી બી કેશરશિવમ

શ્રી. બી.કેશરશિવમ. જન્મ તારીખ-28 સપ્ટેમ્બર 1940. જન્મસ્થળ-કલોલ (ઉતર ગુજરાત) વતન-કલોલ (ઉતર ગુજરાત) હાલનું સરનામું=’શૂળ’ પ્લોટનંબર-138/2, સેકટર-1 બી, ગાંધીનગર.-382007. અભ્યાસ-એમ.એ../એલ.એલ.બી. સંપર્કસૂત્ર=079-23237835. (મો.)=9898029217. પ્રકાશિત પુસ્તકો= નવલકથાઓ=’શૂળ’ (ઇ.સ.1995), ‘મૂળ અને ધૂળ’ (ઇ.સ.2000), ‘પત્ની’ (ઇ.સ.2004) વાર્તાસંગ્રહો=’જન્મદિવસ’ (ઇ.સ.2000), ‘રાતી રાયણની રતાશ’ (ઇ.સ.2001), ‘ડો.સીમા’ (ઇ.સ.2003) ’લક્ષ્મી’ (ઇ.સ.2001), ‘અધૂરું ત્રાગુ’ (ઇ.સ.2004), ‘મધપૂડો’ (ઇ.સ.2005), ‘શહીદ !’ (ઇ.સ.2006) ‘માણકી’ (ઇ.સ.2007) અને ‘વિમળા’ (ઇ.સ.2008) નિબંધસંગ્રહ=’ગાય-જો-ડેરો’ (ઇ.સ.2000), ‘હયાતીનાં હસ્તાક્ષર’ (ઇ.સ.2007) આત્મકથા=’પૂર્ણસત્ય’ ભાગ-1 (ઇ.સ.2002) પારિતોષિક= (1) સંતોકબા સુવર્ણચંદ્રક. (2) ‘જન્મદિવસ’ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું બીજું ઇનામ. (3) નવલકથા ‘મૂળ અને ધૂળ’ને ‘સંદેશ નવલકથા-સ્પર્ધા’નું બીજું ઇનામ. (4) ગુજરાત સમાચાર અને સંદેશનાં વાર્તા-સ્પર્ધાનાં ઇનામો. નોંધ=શ્રી બી.કેશવશિવમએ નિવૃત થયા પછી સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ હાથ ધરી છે. ઇ.સ.1995થી ઇ.સ.2010 સુધીની તેમની 15 વ...

શ્રી પ્રવીણ ગઢવી (દલિત સાહિત્યકારશ્રી)

પ્રવીણ ગઢવી. જન્મતારીખ=15 મે 1951. જન્મસ્થળ=મોઢેરા (જિ,મહેસાણા) વતન-મોઢેરા. હાલનું સ્થળ=આસવલોક, 466/2, સે-1, ગાયત્રીમંદિર પાસે, ગાંધીનગર-382007. અભ્યાસ-એમ.એ.(અંગ્રેજી સાહિત્ય) વ્યવસાય=ભારતીય વહીવટી સેવા. સંપર્ક મો.નં=99784-05097. પ્રકાશિત પુસ્તકો= કવિતા==’આસવદ્વીપ’, ‘મધુ વાતાઋતાયતે’, ‘બેયોનેટ’, પદછાયો’, ‘તુણીર’ વાર્તાસંગ્રહો==’સૂરજનાં પંખી’, ‘પ્રતીક્ષા’, ‘મલાકા’.’અંતરવ્યથા’, ’સ્વર્ગ ઉપર મનુષ્ય’. વિવેચન==’સોહામણી રુપેણ’ (લોકગીતો), ‘મધ્યકાલીન કાવ્ય વિનોદ’ (આસ્વાદ), ‘શબ્દપાન’. ભાષાંતર=’ધી વોઇસ ઓફ ધી લાસ્ટ’, ‘સૂર્યોદય કી પ્રતીક્ષા’. સંપાદન=’ચારણ કવિચરિત્ર’ (ચારણી સાહિત્ય ઉપર લેખો), ‘દુંદુભી’ (દલિત કવિતા) ‘હરીશ મંગલમ અને દલપત ચૌહાણ સાથે. પારિતોષિક= (1) ‘સૂરજ પંખી’ ટૂંકીવાર્તાસંગ્રહને ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. (2) કલેકટર, અમરેલી તરીકે સ્વાંત સુખાય ‘કલાપી તીર્થ’ને ગુજરાત સરકારનો પુરસ્કાર પ્રાપ્ત. નોંધ=શ્રી પ્રવીણ ગઢવી આઇ.એ.એસ. અધિકારી છે. એમણે જિલ્લા કલેકટરથી માંડીને કેટલીક કચેરીઓમાં નિયામક અને કમિશ્નરશ્રી તરીકે સેવાઓ આપેલી-બજાવેલી છે. તેમનાં આશરે વીસેક જેટલાં પુસ્તકો પ્...

દલિત લેખિકા શ્રીમતી જસુમતીબહેન પરમાર

જસુમતી પરમાર. જન્મતારીખ=2જી જૂન 1958. જન્મસ્થળ-મું.વટવા તા.સિટી. જિ.અમદાવાદ. સાસરું=મું.ભુવાલડી. તા.દસક્રોઇ જિ.અમદાવાદ. હાલનું સરનામું=4 હેમાંગ પાર્ક, વેજલપુઅર અમદાવાદ-380051. અભ્યાસ=એસ.એસ.સી./પી.ટી.સી. વ્યવસાય=નિવૃત્ત શિક્ષિકા સંપર્કસૂત્ર=મો.નં-99092-64914. પ્રકાશિત પુસ્તકો=હજી સુધી કોઇ સ્વતંત્ર પુસ્તક પ્રકાશિત થયેલું નથી. પણ કેટલીક વાર્તાઓ, કેટલાંક આત્મકથનો, ગુજરાતી દલિત સાહિત્યનાં સામયિકો/સંપાદનોમાં પ્રગટ થયેલ છે. એમાના કેટલાક હિન્દી તથા અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયેલાં છે. નોંધ-ગુજરાતી દલિત સાહિત્યમાં આમ પણ સ્ત્રી લેખકો આંગળીને વેઢે ગણાય એટલાં જ છે અને એનાં પ્રમુખ કારણોમાં આર્થીક-સામાજિક-શૈક્ષણિક-સાંસ્કૃતિક વંચિતતાઓનો સરવાળો, જે દલિત નારીને હજી આજે પણ કલમ પકડતી અટકાવી રહ્યો છે. અને એ વિટંબણાપ છતાં, જે થોડાંક આશાસ્પદ નામો ઉભર્યા છે એમાં એક નામ શ્રીમતી જસુમતી પરમારનું છે. જસુમતી કહે છે કે સ્ત્રી હોવાને કારણે સ્ત્રીઓને વેઠવા પડતાં દુ:ખો ઉપરાંત બે સંતાનોનાં પિતા સાથે પોતાનાં પ્રેમલગ્નને કારણે, અને એમાંય દલિત-દલિતનાં આંતરજ્ઞાતિય લગ્નને કારણે જીવનમાં જે જોવા-જાણવાં-માણવા-ભોગવવ...

દલિત કવિશ્રી બ્રહ્મ ચમાર-પરિચય

દલિત કવિશ્રી બ્રહ્મ ચમાર-સર્જક પરિચય. જન્મતારીખ-26-3-1982. જન્મસ્થળ- ગામ-મોરવાડા, તા-વાવ. જિ.બનાસકાંઠા.. વતન-ચલાદર તા.ભાભર જિ.બનાસકાંઠા. હાલનું સરનામું=રાધાનેસડા, પોસ્ટ-કુંડળિયા તા.વાવ. જિ.બનાસકાંઠા.-385575. અભ્યાસ-એમ.એ. / એમ.એડ. વ્યવસાય=લોકશિક્ષક (રાધાનેસડા તા.વાવ) મો.નંબર = 99133-63086. પુસ્તક= ‘અસ્તિત્વ અને ઓળખ’ (દલિત કવિતા સંપાદન) ઇ.સ.2012. પારિતોષિક= શ્રેષ્ઠ કવિતા પારિતોષિક (દેશાવીરા ચેરીટેબલ ટ્રસ્ટ ‘દલિતચેતના’નું વર્ષ 2010-11નું ‘પરિવર્તન’ને શ્રેષ્ઠ કવિતા માટેનું પારિતોષિક. નોંધ=બ્રહ્મ ચમાર કવિતામાં આક્રોશ ધગધગતા લાવા જેવો છે. તેનું કારણ બાળપણથી જ એમને સામાજિક વર્ણવ્યવસ્થાને કારણે ઘણું જ સહન કરવું પડ્યું છે, વેઠવું પડ્યું છે. પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં જમવા અલગ બેસવાનું, સવર્ણને ઘેર જમવા થાળી લઇને જવાનું, પાણી ઉંચેથી સવર્ણ પાય ત્યારે જ પીવાનું, સવર્ણને સ્પર્શી જવાય તો ગંદી ગાળો ખાવાની-આ બધાને કારણે એ દલિત કવિતા લખવા પ્રેરાયા. આ કવિની ઉંચ-નીચનાં ભેદભાવ, તિરસ્કાર અને શોષણમાંથી જન્મી છે. એક દલિત હોવાને નાતે એમણે જે કાંઇ વેઠવું પડ્યું અને પડકારો અને પીડાઓનો સામનો કરવો પડ્યો છે,...

મહાત્મા જોતિબા ફૂલેજી

મહાત્મા જોતિબા ફૂલે. (મહારાષ્ટ્રનાં ક્રાંતિકારી વિચારક અને સમાજસુધારક) સંક.પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ) ઇ.સ.1827માં પુણે (મહારાષ્ટ્ર)માં જન્મ.. પિતાશ્રી -ગોવિંદરાવ અને માતાશ્રી-ચિમણાબાઇ મૂળ અટક-ગો-હે. ફૂલનાં વ્યવસાય સાથે જોડયેલાં હોવાથી ‘ફૂલે’ અટકથી જાણીતાં થયાં.. મૂળ વતન-સતારા જિલ્લાનું પુરંદર તાલિકાનું ખાનવડી ગામ. ત્યાં સ્થાયી થયાં.. ઇ.સ.1834માં સાત વર્ષની ઉંમરે પ્રાથમિક શાળામાં પ્રવેશ. શાળાનું વાતાવરણ સારું ના હોવાથી પિતાએ શાળા છોડાવીને બાગ-કામમાં લગાડી દીધાં.. ઇ.સ.1840માં સાવિત્રીબાઇ સાથે લગ્ન કર્યા..જે પાંચ દાયકા સુધી પતિની સાથે સમાજસુધારા અને શિક્ષણને મહત્વ આપીને પૂર્ણ નિષ્ઠા ને નિયત-નીતિ-નિસ્બત અને નિજાનંદે સહકાર આપે છે. ઇ.સ.1842માં અંગ્રેજી શાળામાં દાખલ થયાં.. ઇ.સ.1843-44માં શાળામાં જ લહુજીબુવા પાસેથી પહેલવાની શીખ્યાં-અંગ કસરતનાં દાવ શીખ્યાં. ઇ.સ.1845માં શિક્ષણની સાથોસાથ સમાજસુધારણાનું વ્રત લીધું.. ઇ.સ.1848માં કેળવણીનો પ્રચાર-પ્રસાર કરવા પુણેમાં છોકરાઓ માટે શાળા શરુ કરી. ...

દલિત ચળવળકાર શ્રી નામદેવ ઢસાળજી

નામદેવ ઢસાળ. (દલિતમૂવમેંટકાર) મરાઠી સાહિત્યકાર ઇ.સ.1949માં 15 ફેબ્રુઆરીનાં રોજ મહારાષ્ટ્રનાં પુણેનાં રાજગુરુનગરનાં પુરકનેસર ગામે જન્મ.. શરુઆતની 43 (તેંતાલિસ) વર્ષની જિંદગીમાં કામાઠીપુરા નામના કામગાર વિસ્તારની એક ચાલીની એકમાત્ર ઓરડીમાં ગરીબીમાં જિંદગી વિતાવી હતી.. શાળાંત પરીક્ષા પાસ કરી, વ્યાવસાયિક કારકીર્દિની શરુઆત કરેલી હતી.. ઇ.સ.1965થી ઇ.સ.1971 સુધીનાં ગાળામાં ભાડાની ટેક્સી ચલાવી હતી.. ‘ઇપ્ટા’નાં લોકકવિ અમરશેખનાં દીકરી મલ્લીકા હતાં, એમની સાથે લગ્ન કર્યા.. ઇ.સ.1972માં નામદેવ ઢસાળનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગોલપીઠા’ પ્રકાશિત થયેલો.. (જેમાં સમગ્ર મુંબઇની અંધારી આલમનાં ફોરાસ રોડ ઉપરનાં વેશ્યાઓ, એનાં દલાલોની ખુલ્લેઆમ ચિત્રણ કરવામાં આવેલું.. ’ગોલપીઠા’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ‘વિશેષ જીવન ગૌરવ’ એવોર્ડ મળ્યો.. ઇ.સ.1992માં મુંબઇમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોથી પ્રભાવિત થતાં, નામદેવ ઢસાળજીએ કામાઠીપુરની ઓરડીને છોડીને અંધેરીનાં પરાવિસ્તારમાં સ્થળાંતર કરવું પડયું.. ત્યાં આજીવિકા માટે ચીની ખાદ્યપદાર્થોની લાળી (રેંકડી) શરુ કરી-ચલાવી ગુજરાન કરવું પડ્યું.. સાથોસાથ કાવ્યસર્જન પણ કરતાં રહ્યાં.. ઇ.સ.1997...

રાઘવજી દાનાભાઇ માધડ.દલિત-લલિત સર્જકશ્રી

રાઘવજી દાનાભાઇ માધડ. જન્મ તારીખ.. ૦૧/૦૬/૧૯૬૧. વતન.. દેવળિયા. (તા. - જિ. અમરેલી.) અભ્યાસ.. પી.ટી.સી./એમ.એ./બી.એડ./પીએચ.ડી. અનુભવ.. પ્રાથમિક શિક્ષક કેળવણી નિરીક્ષક વ્યાખ્યા. હાલ.. રિસર્ચ એસોસિયેટ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. (જી.સી.ઇ.આર.ટી.) સેકટર-૨૧, ગાંધીનગર. ફોન નંબર.. ૦૭૯-૨૩૩૨૨૭૮૧/૮૨/૮૩. સંપર્કસૂત્ર..=ડી કક્ષા : ૨૩૨-૪,સેકટર ૧૭.ગાંધીનગર. ફોન નંબર..૦૭૯-૩૨૨૮૭૨૦. નવલકથાઓ.. ‘વંટોળ’, ‘અતીતવન’, ‘ઉઘાડી આંખે શમણા’, ‘સ્વપ્નદાહ’, ‘જળતીર્થ’, ‘આ પાર પેલે પાર’, ’સગપણ એકફૂલ’, ’તરસ એક ટહૂકાની’. વાર્તાસંગ્રહો. ‘ઝાલર’ ‘અષાઢ’ ‘સંબંધ’. લોકકથાઓ. ‘રણકાર’ ...

દલિત સર્જકશ્રી ‘પથિક પરમાર. જીવરાજ ગીગાભાઇ પરમાર.

દલિત સર્જકશ્રી ‘પથિક પરમાર. જીવરાજ ગીગાભાઇ પરમાર. ઉપનામ.... ‘પથિક’ સાહિત્યિક નામ.. ડો.પથિક પરમાર. જન્મ તારીખ.. તા.૧૫/૦૬/૧૯૫૪. અભ્યાસ.. (૧) બી.એ.(ઇ.સ.૧૯૭૯) સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ. (૨)એમ.એ.(ઇ.સ.૧૯૮૧) ભાવનગર યુનિ.માં પ્રથમ કવિશ્રી નાનાલાલ પારિતોષિક વિજેતા. (૩) પીએચ.ડી. (ઇ.સ.૧૯૯૦) માર્ગદર્શક ડો.જયંત વ્યાસ. વિષય: “સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત:સ્વરુપ અને વિકાસ.” પેટા તિજોરી કચેરી, ગઢડા.(ઇ.સ.૧૯૮૧થી ) જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર.(ઇ.સ.૧૯૮૨થી.) પેંશન & પ્રોવિડંડ ફંડ કચેરી, અમદાવાદ.(ઇ.સ.૧૯૮૭થી.) શ્રીમતી વી.પી.કાપડિયા મહિલા આર્ટસ કોલેજ, ભાવનગર.(ઇ.સ.૧૯૮૮થી.) લેખનકાર્ય... ઇ.સ.૧૯૭૨થી... કાવ્યસંગ્રહો.. ‘ઝંખના પથિકની’ (ઇ.સ.૧૯૭૩) ‘દ્વિદલ’ (ઇ.સ.૧૯૭૮) ‘વત્તા’ (ઇ.સ.૧૯૮૧) ‘પ્રત્યંત’ (ઇ.સ.૧૯૯૨) વિવેચન ગ્રંથ.. ‘પ્રતીત’ (ઇ.સ.૧૯૮૮) ‘હરીશ મંગલમ’ (ઇ.સ.૧૯૮૯) ‘ગંતવ્ય’ ...

દલપત ચૌહાણ-ગુજરાતી દલિત સાહિત્ય

દલપત ચૌહાણ-ગુજરાતી દલિત સાહિત્ય જન્મ તારીખ.. ૧૦/૦૪/૧૯૪૦. જન્મ સ્થળ..મંડાલી.(તા.ખેરાલું, જિ. મહેસાણા.) વતન..મંડાલી. હાલનું સરનામું.. ૯૨૮/૨, સેકટર-૭/સી, ગાંધીનગર-૩૮૨૦૦૭. અભ્યાસ..બી.એ. વ્યવસાય.. સરકારી સેવામાંથી નિવૃત-લેખન કાર્ય. સંપર્ક સૂત્ર...૦૭૯-૨૩૪૪૫૦૫. નવલકથાઓ.. ’મલક’, ‘ગીધ’, ‘ભળભાંખળું’.. નવલિકાસંગ્રહો.. ’મૂંઝારો’, ‘ડર’... કાવ્યંગ્રહો.. ’તો પછી’, ‘ક્યાં છે સૂરજ’... નાટકો.. ’અનાર્યવર્ત’, ‘હરિફાઇ’.. વિવેચન.. ’પદ્મચિહ્ન’, ‘સમર્થન’.. સંપાદન. ’વણબોટી વાર્તાઓ’, ‘દુંદુભિ’ (અન્યસાથે.) પ્રકીર્ણ.. ’નિબંધો’ ,’ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ‘તળબોલીનો શબ્દકોશ’ વગેરે.. (૧) ’અનાર્યવર્ત’,....ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૨) ‘ક્યાં છે સૂરજ’...ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૩) ‘હરિફાઇ’... ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૪) ‘ભળભાંખળું’.. ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૫) ‘ભળભાંખળું’..ને દોલત ભટ્ટ ગ્રામ્યનવલકથા એવોર્ડ. (૬) ‘ભળભાંખળું’..ને ગુજ સાહિ.પરિષદનો પ્રિયકાંત પરીખ એવોર્ડ.. (૭) ‘ભળભાંખળું’ ને ગુજરાત સરકારનો દાસી જીવણ એવોર્ડ. (૮) ‘અનાર્યવર્ત’ ને ઓલ ઇંડિયા રેડ...

દલિત કવિશ્રી સામંત સોલંકી.

દલિત કવિશ્રી સામંત સોલંકી. જન્મતારીખ 1 જુલાઇ ઇ.સ.1960. જન્મસ્થળ=ખંઢેરી (તા.વેરાવળ જિ.જુનાગઢ) હાલનું સરનામું=’સિધ્ધાર્થ’ એકતાનગર, ભાલકા-વેરાવળ. અભ્યાસ-પી.ટી.સી./બી.એ. વ્યવસાય=આચાર્ય ભીડીયા પે.સેંટર શાળા-વેરાવળ. સંપર્કસૂત્ર=98796-61150. પ્રકાશિત પુસ્તકો= (1) ‘યુગપુરુષ ડો.બાબાસાહેબ આંબેડકર’ ભાગ-1 (26 જાન્યુઆરી ઇ.સ.1989) (2) ‘...

દલિત સર્જકશ્રી મહેન્દ્ર વાળા ‘મૌન’

દલિત સર્જકશ્રી મહેન્દ્ર વાળા ‘મૌન’ જન્મતારીખ=17 ફેબ્રુઆરી ઇ.સ.1959. જન્મસ્થળ અને વતન –મુ.ઇશ્વરિયા (તા.વેરાવળ. જિ.જૂનાગઢ-વાયા-પ્રભાસપાટણ) હાલનું સરનામું= જય અંબેનગર, નવાપરા, છાયા-360575 જિ.પોરબંદર. અભ્યાસ-એમ.એ../ એમ.ફીલ. વ્યવસાય=શિક્ષક (નવયુગ વિદ્યાલય-પોરબંદર) સંપર્કસૂત્ર=94277-02193. પ્રકાશિત પુસ્તકો= (1) ‘મેઘમાળાના...

ગુજરાતી દલિત સર્જક શ્રી મનીષ પરમાર.

ગુજરાતી દલિત સર્જક શ્રી મનીષ પરમાર. જન્મતારીખ=5 નવેમ્બર 1956, જન્મસ્થળ-વાવડી(ગઢ), જિ.મહેસાણા. હાલનું સરનામું=મું.વાવડી, પો.ધરોઇ કોલોની-384360 જિ.મહેસાણા. અભ્યાસ=એફ.વાય.બી.એ..(હ.કા.આર્ટસ કોલેજ) વ્યવસાય=સામાન્ય લઘુ ખેતી. સંપર્કસૂત્ર-97125-64294. પ્રકાશિત પુસ્તક-‘ગોરંભો’ (ઇ.સ.1994) મળેલા પારિતોષિક- (1) ‘ગોરંભો’ ને ગાંધીનગર ગિરાગુર્જરી એવોર્ડ-1994 (ક.લા.ગુર્જરી મુંબઇ) ...

દલિત સર્જકશ્રી કાંતિલાલ ડા.મકવાણા 'કાતિલ'

દલિત સર્જકશ્રી કાંતિલાલ ડા.મકવાણા ‘કાતિલ’. જન્મતારીખ-9 ઓકટોમ્બર ઇ.સ.1952. જન્મસ્થળ-અમદાવાદ. વતન-મૂળચંદ (તા.વઢવાણ. જિ.સુરેન્દ્રનગર) હાલનું વતન=12, ઉત્તરા સોસાયટી, કલેકટર કચેરીની બાજુમાં, ગાંધીઆશ્રમ, અમદાવાદ. 380002. અભ્યાસ-બી.એ.(ગુજરાતી) એમ.એ.(સમાજમાનવશાસ્ત્ર), એમ.ફીલ.(સમાજમાનવશાસ્ત્ર) વ્યવસાય=સંશોધન અધિકારી, આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ. સંપર્કસૂત્ર=99244-91017, ...

ગુજરાતી દલિત કવિશ્રી દાન વાધેલાસાહેબ.

ગુજરાતી દલિત કવિશ્રી દાન વાધેલાસાહેબ. જન્મતારીખ=20 એપ્રિલ 1955. જન્મસથળ-ખદરપુર (મોસાળ) વતન-ગામ-માખણિયા તા.તળાજા. જિ.ભાવનગર. હાલનું સરનામું- 11, દેશવીર મેંશન, કૃષ્ણ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કેન્દ્રિય વિદ્યાલય પાછળ, કુંભારવાડા-ભાવનગર-364006. અભ્યાસ=પી.ટી.સી., / એમ.એ./બી.એડ. વ્યવસાય=પ્રધાનાચાર્ય, રેલ્વે વિદ્યાલય ભાવનગર પરા-364003. સંપર્કસૂત્ર.98986-32560. પ્રકાશિત...

ગુજરાતી દલિત કવિશ્રી નિલેશ કાથડ.(જૂનાગઢ)

ગુજરાતી દલિત કવિશ્રી નિલેશ કાથડ.(જૂનાગઢ) જન્મસ્થળ=1 જૂન ઇ.સ.1959. જન્મસ્થળ=દડવા (તા.માણાવદર. જિ.જૂનાગઢ) વતન=દડવા. હાલનું સરનામું=દુર્વેશનગર સોસાયટી, બ્લોકનંબર-14, સરયુ એપાર્ટમેંટની બાજુમાં, જૂનાગઢ. 362001. વ્યવસાય=ભારતીય સ્ટેટ બેંક, મેનેજરશ્રી. સંપર્કસૂત્ર= મો.94261-69988 (ઘર) 0285-2627761. પ્રકાશિત પુસ્તકો. (1) ‘બોંસાઇ’ લઘુકથા સંગ્રહ-ઇ.સ.19...

ગુજરાતી દલિત કવિશ્રી અશોક ચાવડા.

ગુજરાતી દલિત કવિશ્રી અશોક ચાવડા. જન્મતારીખ-23 ઓગસ્ટ 1978. જન્મસ્થળ=ભાવનગર (ગુજરાત) વતન-મનડાસર ગામ (તા.ચોટીલા. જિ.સુરેન્દ્રનગર.) હાલનું સરનામું= 3, મધુબન એપાર્ટમેંટ, જૂના વાડજ, અમદાવાદ.-13. અભ્યાસ=બી.એ./બી.કોમ/એલ.એલ.બી. પીએચ.ડી. વ્યવસાય=આયુર્વેદિક કોલેજ, જામનગરમાં પબ્લિક રિલેશન ઓફિસરશ્રી સંપર્ક=94266-80633. ...

શ્રી ભી.ન.વણકર (દલિતસાહિત્યનાં કવિ-વિવેચક-નિબંધકાર-વાર્તાકારશ્રી

શ્રી ભી.ન.વણકર (દલિતસાહિત્યનાં કવિ-વિવેચક-નિબંધકાર-વાર્તાકારશ્રી..) જન્મતારીખ=1 મે ઇ.સ.1942. જન્મસ્થળ=સુંદરપુર (તા.વીજાપુર, જિ.મહેસાણા) વતન=સુંદરપુર. હાલનું સરનામું= 516, ગયત્રીનગર સેકટર-27, ગાંધીનગર. અભ્યાસ-એમ.એ.(ગુજરાતી અને હિન્દી) / એલ.એલ.બી. એડવોકેટ. વ્યવસાય=નિવૃત રાજ્યપત્રિત અધિકારી (વકીલાત) સંપર્કસૂત્ર= 079-23236177. પ્રકાશિત પુસ્તકો= (1) ‘યાદ’ (કાવ્યસંગ્રહ) ઇ.સ.1993. ...

ગુજરાતી દલિત કવિશ્રી રાજુ સોલંકી.

શ્રી રાજુ સોલંકી= જન્મ તા.18 ઓગસ્ટ ઇ.સ.1961 જન્મસ્થળ=અમદાવાદ, વતન=અમદાવાદ, હાલનું સરનામું=202, સારથી એપાર્ટમેંટ, મુસા સુરાગ દરગાહ સામે, શાહીબાગ, અમદાવાદ-380004. અભ્યાસ=બી.એસ.સી. વ્યવસાય=સમાજસેવા. મો.નં=9898650180. પ્રકાશિત પુસ્તકો= ઇ.સ.1986માં ’મશાલ’ કાવ્યસંગ્રહ; ...

ગુજરાતી દલિત કવિશ્રી શિવજી રુખડાસાહેબ

શ્રી શિવજી રુખડા. જન્મ=તા.20 મે ઇ.સ.1944. જન્મસ્થળ=બગસરા (અમરેલી) વતન- બગસરા (અમરેલી); હાલનું સરનામું- અમરપરા, આંખની હોસ્પિટલની બાજુમાં, બગસરા.365440. અભ્યાસ-બી.એ. વ્યવસાય=નિવૃત્ત શોપ ઇંસ્પેકટર, નગરપાલિકા, બગસરા. (મો.નં.9426126678) પ્રકાશિત પુસ્તકો=ઇ.સ.1990માં ‘ફૂલનો પર્યાય’ (ગઝલસંગ્રહ) અને ‘એના ઘર ભણી (ગઝલસંગ્રહ) પારિતોષિક=(1) 1987માં જીવનની વ્યથા અને વેદના દલિત કાવ્યો દ્વારાં વ્યક્ત કરવા બદલ શ્રી ધનજી કાનજી ગાંધી પારિતોષિક અને ...

ગુજરાતી દલિત કવિશ્રી બબલદાસ ચાવડાસાહેબ.

શ્રી બબલદાસ ચાવડા. (બુધ્ધિધન વિસનગરી) જન્મતારીખ=તા.8 નવેમ્બર ઇ.સ.1922. જન્મસ્થળ=વિસનગર(જિ.મહેસાણા) વતન=વિસનગર. હાલનું સરનામું= સયાજી વિદ્યાર્થી આશ્રમ, રેલ્વે સ્ટેશન સામે, વિસનગર. અભ્યાસ=ગ્રેજ્યુએટ.(ઇ.સ.1949) સંપર્કસૂત્ર=02765-222754. પ્રકાશિત પુસ્તકો/પુસ્તિકાઓ વગેરે.=36 (છત્રીસ) પારિતોષિક=સંસ્થાકીય સામાજિક પ્રદાન બદલ સરકારી પ્રશસ્તિપત્ર, કાશ્મીરી શાલ ઓઢાડી બહુમાન અને ‘મહાત્મા ગાંધી’ એવોર્ડથી વિભૂષિત સને.2006માં સાથે રુ.1,00,000 (એક લાખ રુપિયા રોકડાં) ...

ગુજરાતી દલિત કવિશ્રી નરેન્દ્ર વેગડા-જૂનાગઢ

શ્રી નરેન્દ્ર વેગડા. જન્મતારીખ=6 નવેમ્બરઇ.સ.1964. જન્મસ્થળ અને વતન=સાવરકુંડલા. હાલનું સરનામું= ‘નિર્ઝર’ દુર્વેશનગર, જલારામ સોસાયટીની પાછળ, જૂનાગઢ 362001. અભ્યાસ=બી.કોમ./એલ/એલ.બી. વ્યવસાય=કલાર્ક, સ્ટેટ બેંક ઓફ ઇંડિયા. સંપર્કસૂત્ર=99796-41971 & 0285-2623517. પ્રકાશિત પુસ્તક= ઇ.સ.2006માં ‘તત્ક્ષણ’ કાવ્યસંગ્રહ. પારિતોષિક-મેઘવાળ સમાજ સમાધાન પંચ-જૂનાગઢ દ્વારાં જાહેર સન્માન.. ...

ગુજરાતી દલિત કવિશ્રી પુરુષોતામ જાદવ

શ્રી પુરુષોત્તમ જાદવ. જન્મતારીખ-11 ડિસેમ્બર ઇ.સ.1960. જન્મસ્થળ-અમદાવાદ, વતન-જામળા(જિ.મહેસાણા) હાલનું સરનામું=’ઇલાનિકેતન’ 1245/2 સેકટર-4/સી. ગાંધીનગર-382006. અભ્યાસ-બી.એ. વ્યવસાય-સચિવાલય ગાંધીનગર ખાતે સરકારી ઓફિસરશ્રી. સંપર્ક-મો.93271-79557. પ્રકાશિત પુસ્તકો= બે કાવ્યસંગ્રહો થાય એટલાં કાવ્યો પ્રગટ, દલિત સાહિત્યને લગતાં અનેક લખાણો પ્રગટ થયાં છે, પ્રથમ પુસ્તક ક્યારે પ્રગટ તાય તે નક્કી નહીં, પણ શ્રી પુરુષોત્તમ જાદવ પોતાની દલિત કવિ અને લેખક તરીકે આગવી ઓળખ ઉભી કરી શક્યા છે.. ...